Explore

Search

October 27, 2025 3:26 pm

लेटेस्ट न्यूज़
Advertisements

ધાર્મિક કથા : ભાગ 210શ્રાવણ અધિક માસનું મહત્વ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 210શ્રાવણ અધિક માસનું મહત્વ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 210
શ્રાવણ અધિક માસનું મહત્વ
ભારતીય કેલેન્ડર મુજબ પ્રત્યેક 3 વર્ષ બાદ વર્ષમાં 12ની જગ્યાએ 13 મહિના આવે છે. આ વધારના મહિનાને અધિક માસ કહેવાય છે. આવું થવા પાછળનું કારણ સૂર્ય અને ચંદ્ર વર્ષ છે. આ બંનેની ગણતરીમાં આવતો તફાવત 3 વર્ષે અધિકમાસ સ્વરુપે કેલેન્ડરમાં એડ કરવામાં આવે છે. પાશ્ચાત્ય કેલેન્ડરમાં આવતું લિપ યર પણ આ સૂર્ય અને ચંદ્ર કેલેન્ડરનું પરીણામ છે. જોકે તેમાં દર ચોથા વર્ષે ફેબ્રુઆરી માસનો એક દિવસ જ વધે છે જ્યારે અહીં સંપૂર્ણ મહિનો. આવું કેમ, ચાલો આજે જાણીએ અધિક માસનું ધાર્મિક અને ખગોળકીય મહત્વ. ભારતીય જ્યોતિષ પ્રમાણે પંચાંગ ગણના મુજબ એક સૌર વર્ષમાં 365 દિવસ, 15 ઘડી, 31 પળ અને 30 વિપળ હોય છે. જ્યારે ચંદ્ર વર્ષમાં 354 દિવસ, 22 ઘડી, 1 પળ અને 23 વિપળ હોય છે. આમ સૂર્ય અને ચંદ્ર વર્ષમાં 10 દિવસ,53 ઘડી, 30 પળ અને 7 વિપળનું અંતર પ્રત્યેક વર્ષ દરમિયાન રહી જાય છે. જેને સમાયોજીત કરવા માટે અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે. અધિક માસવાળા વર્ષમાં જે મહિના દરમિયાન સૂર્ય સંક્રાંતિ ન હોય તેને અધિક માસ કહેવાય છે. હિન્દુ શાસ્ત્રોમાં અધિક માસને ખૂબ પવિત્ર ગણવામાં આવ્યો છે. માટે જ આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. અહીં પુરુષોત્તમ એટલે ભગવાન વિષ્ણુનો માસ એવો અર્થ છે. શાસ્ત્રો મુજબ અધિકમાસમાં વ્રત પારાયણ કરવું, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને તિર્થ સ્થાનમાં દર્શન કરવા ખૂબ પુણ્યપ્રદ છે. જોકે આ મહિના દરમિયાન યજ્ઞોપવિત, લગ્ન, રાજ્યભિષેક ઉપરાંત કોઈ કાર્યસિદ્ધી માટે કરવામાં આવતા કર્મકાંડ કે પૂજા કરવી વર્જ્ય છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements