Explore

Search

October 27, 2025 12:35 pm

लेटेस्ट न्यूज़

Advertisements

શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સ ઉજવાઈ ગયો : Manoj Acharya

શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સ ઉજવાઈ ગયો : Manoj Acharya

શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ખુબ જ સરસ રીતે તા. 3 જુલાઈ, સોમવારે સવારે 10 થી 12 દરમિયાન ભક્તિમય વાતાવરણમાં ઉજવાઈ ગયો. કાર્યક્રમની શરૂઆત સ્તુતિ વંદનાથી થઈ, એ બાદ પુ. શ્રી માડીએ સત્સંગ પ્રવચન કર્યું. આરતી બાદ સૌએ ગુરૂપુજનનો લાભ લીધો અને પુ. ગુરૂદેવે સૌને શુભાશીર્વાદ પાઠવ્યા હતા. સ્થાનિક તથા બહારગામથી પણ બહોળી સંખ્યામાં શિષ્યો હાજર રહ્યા હતા અને લગભગ 500 થી પણ વધુ લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો, જેની વ્યવસ્થા નયનાબેન આચાર્ય (અન્નપૂર્ણા ભોજનાલય) દ્વારા કરવામાં આવેલ હતી. ઘણાં શિષ્યો નોકરી ધંધાને હિસાબે સવારે આવી શક્યા નહોતા એ સાંજથી રાત્રિના 10 સુધી પુ. શ્રી માડીનાં આશીર્વાદ લેવા ખાસ આવ્યા હતા તથા અનેક શિષ્યોએ ફોન દ્વારા પણ આશિર્વાદ મેળવ્યા હતા. માતાજીની કિંમતી સાડીની સેવા શિષ્ય શ્રી કૌશિકભાઇ વૈદ્ય (બેંગ્લોર), શણગારની સેવા શિષ્ય શ્રી જયેશ પતિરા (બારાન-કોટા, રાજસ્થાન), મહાપ્રસાદ સેવા શ્રી તેજસ શાહ (રાજકોટ), સોનલ જાની (અમદાવાદ) અને નયનાબેન શુક્લ (સુરેન્દ્રનગર) તરફથી હતી.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements