માહ્યાવંશીઓ રાજપુત વંશજના હોવાનું ભારપૂર્વક રજુઆત બાદ મુંબઈ સરકારના જનરલડિપાર્ટમેન્ટના મેમો નં. ૯૩૩૦ ડિસેમ્બર ૧૯૩૯ માં માહ્યાવંશી તરીકે જાહેર કરાયા : ईश्वर परमार (કનાડું)
ઉંમરગામ : માહ્યાવંશીઓ રાજપુત વંશજના હોવાનું ભારપૂર્વક રજુઆત બાદ મુંબઈ સરકારના જનરલ ડિપાર્ટમેન્ટના મેમો નં. ૯૩૩૦ ડિસેમ્બર ૧૯૩૯ માં માહ્યાવંશી તરીકે જાહેર કરાયા બાદ પાછળથી દમણની મુક્તિ પછી ગોવા દમણ દીવ સરકારે પણ તેઓના નોટીફિકેશન નંબર ડીએફ-ર-એસસીટી ૬૪ તા. ૧૯-૨-૬૮ માં માહ્યાવંશી જાતિ તરીકે દાખલ કરી હતી. દક્ષિણ ગુજરાતના વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકામાં વર્ષોથી માહ્યાવંશીઓ ફક્ત માહ્યાવંશી જાતિનાજ છે અને શ્રી મૈયાવત રાજપુતોદય અર્થાત માહ્યાવંશીનો ઉદય ૧૯૧૧ ને આધારે સામાજીક જાગૃતિ/જાણકારી આપવાનું અભિયાન શ્રી માહ્યાવંશી સમાજ ઉમરગામ તાલુકા રજી. નં. ૮૨૨-અ વલસાડ, જીલ્લા વલસાડ, શ્રી ઇશ્વરલાલ પી. પરમાર (કનાડુ) ના પ્રમુખપણા હેઠળ કરાય રહ્યું છે. આ સંસ્થાની રજુઆત પછી સરકારશ્રી દ્વારા લખાયેલ પત્ર નં. ૭. અજય ૧૦૯૯ ૩૦૩ સામાજીક ન્યાય અને અધિકાર વિભાગ ગાંધીનગર તા. ૩૧/૩/૯૯ દ્વારા જણાવ્યા મુજબ માહ્યાવંશી જાતિને જરૂર જણાય ત્યાં અ.જાતિ તરીકે સંબોધન લખવી એવું સંબંધીત તમામ સરકારી- બિનસરકારી વિભાગોને સરકારશ્રીના પરિપત્ર ક્રમાંક એસ.સી.ડબ્લયુ ૧૦૯૦/૧૪૫૦૯/હ સચિવાલય ગાંધીનગર તા. ૧૨/૧/૧૯૯૯ ના પરિપત્ર દ્વારા સુચનાઓ આપવામાં આવેલ છે. અને માહ્યાવંશી જાતિને બીજા કોઈ જાતિથી શબ્દથી પર્યાયથી નહીં ઓળખવા/લખવા સંબોધવા સુચના અપાયેલ છે.