20મી જાન્યુઆરી થી સંકટ હરણ હનુમાનજી પારનેરા પારડી ખાતે પ્રફુલભાઇ શુક્લ ની રામ કથા આરંભ થશે.
22 મી જાન્યુઆરી ના ઐતિહાસિક દિવસે થનારી અયોધ્યાખાતે રામ લલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વલસાડ ના લાખો ભાવિક ભક્તો ની શ્રદ્ધા જેમની સાથે જોડાયેલી છે એવા હાજરા હજુર ઐતિહાસિક સંકટ હરણ હનુમાનજી મંદિરે આવતી તારીખ 20 જાન્યુઆરી થી 28 જાન્યુઆરી સુધી વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની રામકથા નો મંગલમય પ્રારંભ થશે. નવ દિવસીય રામ કથા અનુષ્ઠાન અંતર્ગત તમામ ઉત્સવો ધામધૂમ પૂર્વક ઉજવવા મા આવશે. એવી ઐતિહાસિક રામકથા માટે યોજાયેલી પત્રકાર પરિસદ મા આજે કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતુ કે ” 35 વર્ષ પછી યોજાયેલી આ રામ કથા સંકટ હરણ હનુમાનજી ને અર્પણ છે, આખું વિશ્વ જયારે રામમય બની રહ્યું છે ત્યારે આ રામ કથા અનેરો આનંદ આપનારી રહેશે. આજ થી 35 વર્ષ પહેલ વલસાડ ના લોકપ્રિય માનનીય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ પારનેરા ના સરપંચ હતા ત્યારે રામ કથા યોજાઈ હતી.આ ભવ્ય રામ કથા મા સમગ્ર દક્ષિણ ગુજરાત ના રાજકીય,ધાર્મિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.આજે પત્રકાર પરિસદ મા વલસાડ ના માનનીય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.20 મી જાન્યુઆરી એ રાધા કૃષ્ણ મંદિરે થી અલગ અલગ 31 ગામો માથી બપોરે 1 વાગ્યે પોથી યાત્રા પ્રસ્થાન થઇ સંકટ હરણ હનુમાનજી મંદિરે જશે.દરરોજ બપોરે 3 થી 6 ચાલનારી આ રામ કથા મા કથા બાદ મહાપ્રસાદ ની વ્યવસ્થા રાખેલી છે. કથા ને સફળ બનાવવા માટે સંકટ હરણ હનુમાનજી મંદિર ટ્રસ્ટી ગણ સહીત ભાવિક ભક્તો તનતોડ મેહનત કરી રહ્યા છે.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877