અમદાવાદ, મણિનગર વિસ્તારમાં રહેતા મારા પરમ આદરણીય શ્રી ઘનશ્યામસિંહજી ઝાલાને લાભપાંચમના શુભ દિવસે તા. 29 ઓક્ટોબર, શનિવારે સાંજે 6.30 વાગે હું અને મારા ધર્મપત્ની નયના મળવા ગયા અને નવા વર્ષની શુભેચ્છા આપી સ્નેહવંદન કર્યા. અમારા ઉપર ખૂબ જ સ્નેહ રાખે છે. ‘માસ્ટર ઓફ થીઓલોજી’ એવા 82 વર્ષિય શ્રી ઘનશ્યામસિંહજી અમદાવાદ ખાતે મદદનીશ પોલીસ કમિશનર તરીકે રહી ચુક્યા છે. જન્મ (3 ફેબ્રુઆરી 1941) ભાવનગરમાં અને વતન માલણિયાદ (સુરેન્દ્રનગર) છે. શિક્ષણ ઈન્ટર આર્ટસ, એલ.એલ.બી. ડીપ્લોમા ઈન થીઓલોજી, કેવલ્યધામ યુનિવર્સિટી, લોનાવાલા ખાતે લીધું. એમની એકમાત્ર અભિરૂચિ ઇશ્વરીય ખોજ છે. તેઓશ્રી ફેંગ શૂઇનાં સિદ્ધહસ્ત સલાહકાર હોવાની સાથે ઉત્તમ કક્ષાનાં લેખક પણ છે. તાજેતરમાં જ તેમણે લખેલું પુસ્તક “ઋગવૈદિક આર્ય ક્ષત્રિયોનો સુવર્ણ કાળ મને સપ્રેમ ભેટ આપ્યું, જે ગહન રહસ્યોને વંદન કરવાના ભાવથી લખાયું છે. આ પુસ્તક ફક્ત ક્ષત્રિય રાજપૂત ભાઇઓ માટે જ છે અને પુસ્તકનાં વેચાણમાંથી પ્રાપ્ત રકમ ગૌશાળામાં ગાયો માટે દાન કરવામાં આવે તેવો પવિત્ર ભાવ રાખવામાં આવેલો છે. આ પુસ્તકનું વિમોચન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવેલું, જેની સમગ્ર વ્યવસ્થા અને આયોજન ક્ષત્રિય અગ્રણી તથા સામાજીક કાર્યકર એડવોકેટ શ્રી રાજભા ઝાલા (ઘણાદ) દ્વારા કરવામાં આવેલ હતું, જેમાં સમાજના બહોળી સંખ્યામાં વ્યકિતઓ ઉપસ્થિત રહ્યા હતા.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877