Hiran Niranjan Vaishnav: “તબીબી ક્ષેત્રે હિંસા” આ પુસ્તકમાં લખ્યું છે કે.. હાવર્ડ વિશ્વવિદ્યાલયના જગતભરમાં નામના ધરાવતા જંતુશાસ્ત્રી એડમન્ડ વિલ્સને આજીવન કીડીનો અભ્યાસ કર્યો છે. તેમના આત્મકથા સમાન વૃત્તાંતમાં તેઓ લખે છે કે- જો ભૂલેચૂકે પણ માનવને કારણે કીડીનો ધરતી પરથી વિનાશ થશે તો ધરતી વેરાન થઈ જશે. પણ જો ધરતી પરથી માનવજાતિનો વિનાશ થશે તો ધરતીને કળ વળશે અને બહુ થોડા સમયમાં નંદનવન બની જશે.
ધરતીને કીડી વહાલી છે. એ માણસની હાજરી તો સહી રહી છે. નાનકડી કીડીનું આટલું બધું માહાત્મ્ય છે.
આ પુસ્તક મારી પાસે છે, બે વખત વાંચ્યું છે, કમકમાટી થાય એવું છે પણ મનોબળ મજબૂત રાખી વાંચ્યું..!!!!
આપણાં વડવાઓ કીડીયારું પૂરતા હતા. તેઓ જીવજંતુની કેટલી કાળજી લેતા..!! ઘણાં ઘરમાં આજે પણ એ પ્રથા જળવાઈ છે.
: ચૈત્ર મહિનો એટલે કીડીને કીડીયારું પૂરવાનો મહિનો. ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે.
આપણે બીજે કશે ના જઈ શકીએ તો આપણી સોસાયટીમાં કે તેની આસપાસમાં રહેલા ઝાડ પાસે પોચી માટીમાં કીડીયારું પુરવાનું પુણ્યકાર્ય કરી જ શકીએ.
કીડીયારું બનાવવાની રીત :-
બાજરીનો લોટ
રવો
દળેલી સાકર
સફેદ તલ
અને થોડું ઘી.
આટલું મિક્સ કરીશું એટલે કીડીયારું તૈયાર. એક મુઠ્ઠી કીડીયારું સેંકડો કીડીઓનો ખોરાક છે.
જેટલું બને એટલું આ શુભ કાર્ય રોજ કરજો.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877