Explore

Search

July 20, 2025 12:35 pm

लेटेस्ट न्यूज़
Advertisements

ધાર્મિક કથા : 262પ્રબોધિની એકાદશી મહાત્મ્ય : મનોજ આચાર્ય

ધાર્મિક કથા : 262પ્રબોધિની એકાદશી મહાત્મ્ય : મનોજ આચાર્ય

ધાર્મિક કથા : 262
પ્રબોધિની એકાદશી મહાત્મ્ય
🕉️ 🛕 🚩 🪔 🙏🏻
કારતક સુદ દેવ ઉઠી એકાદશી 23 નવેમ્બર 2023ના રોજ ભગવાન શ્રીહરિ યોગનિદ્રાથી જાગવા જઈ રહ્યા છે. દેવનું ઉત્થાન થવાનું છે, દેવનું પ્રબોધન થવાનું છે, ભગવાન ઉઠવાના છે, ભગવાન જાગવાના છે. સાત લોકમાં ઘંટ, ઘડિયાળ, શંખનો શુભ નાદ ગુંજી ઉઠશે. ચારેબાજુ ભગવાન શ્રી હરિનો જયજયકાર થશે. શાસ્ત્રો અનુસાર એકાદશી વ્રતનું પરિણામ સો રાજસૂય યજ્ઞ અને એક હજાર અશ્વમેધ યજ્ઞના ફળ સમાન છે. આ એકાદશી પર વ્યક્તિ જે કંઈ વ્યક્તિ જપ, તપસ્યા અને સ્નાન અને દાન કરે છે, તે બધું અખૂટ ફળદાયક છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી, દિવસભર ઉપવાસ રાખવાથી, રાત્રે જાગરણ કરવાથી તમામ કાર્યોનુ ફળ મળે છે. માણસ જીવતા જીવ રહીને પૃથ્વી પરના તમામ સુખો ભોગવે છે. વ્રતીએ અજાણતા કરેલા પાપોનો નાશ થાય છે અને મૃત્યુ પછી શ્રી હરિના વિમાનમાં બેસીને વૈકુંઠ લોકમાં જાય છે. દેવોત્થાન એકાદશીના દિવસે બિલીપત્રના પાન પ્રસાદ તરીકે લેવા જોઈએ. આ દિવસે સાંજે સુંદર મંડપ શણગારીને તેમાં ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ દરમિયાન આ શુભ ગીત ગવાય છે – બોર ભાજી આંવલા, ઊઠો દેવ સાવલા. ભગવાનના ઉત્થાન પછી તેમને સ્નાન કરાવવામાં આવે છે. પૂજા કર્યા પછી નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. પ્રબોધિની એકાદશીનું માહાત્મ્યનું વર્ણન સ્કંદપુરાણમાં બ્રહ્માજી અને દેવર્ષિ નારદ વચ્ચેની વાતચીતમાં કરવામાં આવેલું છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements