Explore

Search

October 19, 2025 1:23 pm

लेटेस्ट न्यूज़
Advertisements

” ભારત મા રામરાજ્ય ની સ્થાપના નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઇ છે ” :- પ્રફુલભાઇ શુક્લ

” ભારત મા રામરાજ્ય ની સ્થાપના નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઇ છે ” :- પ્રફુલભાઇ શુક્લ

” ભારત મા રામરાજ્ય ની સ્થાપના નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઇ છે ” :- પ્રફુલભાઇ શુક્લ

22 મી જાન્યુઆરી એ અયોધ્યા ખાતે થયેલી ભગવાન રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત પારનેરા પારડી સંકટ હરણ હનુમાનજી મંદિરે ચાલી રહેલી વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 860 મી રામકથા ને આજે વિરામ આપવામાં આવ્યો હતો. આ પૂર્વે નવદિવસિય રામહનુમંત યજ્ઞ ની મુખ્ય યજમાન રાજનભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા તેમજ વિશાળ સંખ્યા મા ભાવિક ભક્તો ની ઉપસ્થિતિ મા શ્રીફળ હોમી ને પુર્ણાહુતી કરવામા આવી હતી. કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે ” જે ભગવાન રામેશ્વર ને ગંગાજળ ચડાવે છે એ સાયુજ મુક્તિ ને પામે છે “,, આજે ખરા અર્થ મા ભારત મા રામરાજ્ય સ્થપાયુ છે,” ભારત મા રામરાજ્ય ની સ્થાપના નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઇ છે “,.રામ ની સંસ્કૃતિ એ સમાજ મા સેતુ બાંધવાના જ કાર્યો કર્યા છે.કથા ને સફળ બનાવવા માટે સંકટ હરણ હનુમાનજી મંદિર ટ્રસ્ટ નુ કથાકાર પ્રફુલભાઇ શુક્લ દ્વારા વ્યાસપીઠ પરથી સ્વાગત કરવામાં આવ્યું હતુ.આવતી તારીખ 25/3/2024 થી 31/3/2024 સુધી ભીલાડ ગોપાલ કૃષ્ણ મંદિર હાઇ વે પર ભાગવત કથા નુ શ્રીફળ મૂરત આજે મહેશભાઈ પુરોહિત, મહેશભાઈ મગનભાઈ મહારાજ, વિનયભાઈ નાયક, મયુરભાઈ શાસ્ત્રી ને અર્પણ કરવામાં આવ્યું હતુ.આભારવિધિ મિત્તલભાઈ પટેલ દ્વારા કરવામા આવી હતી.કથા નુ સમસ્ત પુણ્ય કથાકાર પ્રફુલભાઇ શુક્લ દ્વારા સ્વ. ધનુબેન મંગુભાઇ પટેલ ને અર્પણ કરવામાં આવ્યું હતુ. વડીલ મુરબ્બી મંગુ બાપા અને એમના પરિવાર દ્વારા પોથી તેમજ વ્યાસપુજન કરવામાં આવ્યું હતુ. આચાર્ય કિશનદવે, ચિંતન જોષી દ્વારા વેદ મંત્રોચાર કરવામાં આવ્યું હતુ.ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામા આવ્યું હતુ.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements