“ખેરગામમાં તાપી જ્યંતી અને મહાકાળી ઉત્સવમાં વૃક્ષા રોપણ નો સંકલ્પ લેવાયો”
“પ્રકૃતિ અને પરમાત્મા એક જ઼ છે, આજે તાપી જયંતિ અને મહાકાળી પ્રાગટ્ય ઉત્સવ પ્રસંગે આપણે બધા હાથ ઉંચો કરી ને માતાજી ની સાક્ષી એ સઁકલ્પ કરીયે કે આ વર્ષમાં એક વ્યક્તિ 2વૃક્ષ વાવશે, ઉછેરસે અને પર્યાવરણ નું જતન કરશે “ઉપરોક્ત શબ્દો આજે કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ ખેરગામ જગદંબાધામ મા ઉચ્ચારી ને મોટી સઁખ્યામાં ઉપસ્થિત ભાવિકો પાસે સંકલ્પ લેવડાવ્યો હતો.આજે ધર્મેશભાઈ વઘાસીયા અરવિંદભાઈ ઘોરી, જતીનભાઈ દેસાઈ,પ્રબોધ ભાઈ કુરકુટિયા, ઈશ્વરભાઈ પટેલ (પારનેરા), રમણભાઈ ભગતજી (બિનવાડા) દ્વારા નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો.કથાકાર નરેશભાઈ રામાનંદી ની કન્યા છાત્રાલય ની 55આદિવાસી કન્યા ઓને ભોજન કરાવવામાં આવ્યુ હતું.સતત આઠમા દિવસે “જગદંબાધામ” ની દેવી ભાગવત કથા રંગ જમાવી રહી છે. માતાજી ના પ્રાગટ્ય ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત ભાવિક ભક્તો માતાજી ના નામ સ્મરણ મા મદમસ્ત બન્યા હતા. સૌ પ્રથમ વખત થઇ રહેલા શ્રી સૂક્તમ અનુષ્ઠાન નો પણ લાભ ભાવિક ભક્તો લઇ રહ્યા છે. ભાગ્યશાળી ભક્તો શ્રી યંત્ર પ્રસાદી ના સ્વરૂપ મા પ્રાપ્તિ કરી રહ્યા છે.



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877