Explore

Search

July 7, 2025 5:23 am

लेटेस्ट न्यूज़

श्री जगन्नाथ मंदिर सेवा संस्थान दुनेठा दमण ने जगन्नाथ भगवान की रथ यात्रा दुनेठा मंदिर से गुंडीचा मंदिर अमर कॉम्प्लेक्स तक किया था यात्रा 27 जुन को शुरु हुई थी, 5 जुलाई तक गुंडीचा मंदिर मे पुजा अर्चना तथा भजन कीर्तन होते रहे यात्रा की शुरुआत से लेकर सभी भक्तजनों ने सहयोग दिया था संस्थान के मुख्या श्रीमति अंजलि नंदा के मार्गदर्शन से सम्पन्न हुआ

Advertisements

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીવન ચરિત્ર : Dr. Indravadan

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીવન ચરિત્ર : Dr. Indravadan

Dr. Indravadan: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન, કાર્ય, સાહિત્ય અને સંગીતથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી એમની 125મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીન નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ઝવેરચંદ મેઘાણીએ 1934માં રચેલ સદાબહાર ગીત ‘કસુંબીનો રંગ’ના અનન્ય-અદ્વિતીય વિડીયો આલ્બમનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સાડા-સાત મિનિટના આ રસપ્રદ વિડીયો આલ્બમ ગુજરાતના ખ્યાતનામ 20 જેટલાં લોકકલાકારો અભેસિંહ રાઠોડ, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, હેમંત ચૌહાણ, બિહારી હેમુભાઈ ગઢવી, ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, જીગ્નેશ કવિરાજ, નીલેશ પંડ્યા, અનિલ વેલજીભાઈ ગજ્જર, અનુભા ગઢવી, બિરજુ બારોટ તેમજ લલિતા ઘોડાદ્રા, કિંજલ દવે, રાધા વ્યાસ, વત્સલા પાટીલ, અભિતા પટેલ તથા શ્યામલ-સૌમિલ-આરતી મુનશીએ કંઠ આપ્યો છે.
સૂરીલું સંગીત નિયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ અને જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું છે.
ઝવેરચંદ મેઘાણીના વિવિધ સ્મૃતિ-સ્થળો ચોટીલા, રાજકોટ, અમરેલી, બોટાદ, રાણપુર, ધંધુકાને પણ આ વિડીયો આલ્બમમાં સાંકળી લેવામાં આવ્યાં છે.
[8/8, 9:59 PM] Dr. Indravadan: તા. 29.7.2021, ગુરૂવારે સાંજે 7.30 કલાકે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી નિવૃત્ત દૂરદર્શન અધિકારી શ્રી કરસનભાઈ સંતોકીનાં રાજકોટ સ્થિત નિવાસસ્થાને પધરામણી થઈ, જેઓ 1990 થી શિષ્ય છે.
તેમનાં ધર્મપત્ની શ્રીમતી ગીતાબેન, સુપુત્ર આનંદ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી એકતાએ ખૂબ જ ભાવપૂર્વક સ્વાગત કર્યું. આનંદનાં તાજેતરમાં જ લગ્ન થયા છે એટલે શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠની પરંપરા મુજબ માતાજીને પહેરાવેલી કિંમતી સાડી પ્રસાદીરૂપે એકતાને ભેટ આપી. સમગ્ર પરિવારે માતાજીની આરતી ઉતારી અને થાળ ધર્યો તથા પુ. માડી સાથે સૌએ પ્રસાદ લીધો અને સૌને ધર્મલાભ આપીને રાત્રે 10.45 વાગ્યે વિદાય થયા.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements