લંડન ૦૭-૦૪-૨૦૨૫
રામનવમીએ યૂકેમાં હિન્દુત્વ-રાષ્ટ્રવાદનો જયઘોષ ‘નવભારત’ નો આગાજ ” : NRI કેશવભાઈ બટાક
♦️ યૂકેથી ઑસ્ટ્રેલિયા, રશિયા, યૂએસએ, ન્યૂઝીલેન્ડ, જાપાન, જર્મની, કેનેડા સુધી સનાતની ભારતીયોએ રામનવમીની કરી ધામધૂમથી ઉજવણી
એનઆરઆઈ કેશવભાઈ બટાકે રામનવમીએ લેસ્ટર, વેમ્બલી, લંડન સહિત યૂકેના વિવિધ વિસ્તારોમાં સનાતની ભાઇઓ બહેનોની ભગવા ધ્વજ અને તિરંગા લઈને નીકળેલી શોભાયાત્રાને ‘હિન્દુત્વ-રાષ્ટ્રવાદ’ નો જયઘોષ સાથે ‘નવભારત’ નો આગાજ ગણાવ્યો છે. એનઆરઆઈ ગ્રુપ લંડન-યૂકેના કન્વીનર કેશવભાઈ બટાકે સેન્ટ્રલ લંડનથી જારી બયાનમાં કહ્યું કે આ વર્ષે યૂકેમાં રામનવમી પર્વની શોભાયાત્રામાં સનાતનીઓની ઉત્સાહજનક ભરચક મોજૂદગી ભારતનો હિન્દૂ રાષ્ટ્ર બનવા તરફ થતો પ્રયાણનો આગાજ છે. સનાતની ભારતીયોમાં આ જોશ ઇન્ડિયામાં ‘નવભારત’ ના ઘડતરના જારી ભગીરથ પ્રયાસોથી મળી રહ્યો છે. સનાતની ભારતીયોમાં એકતા અને દેશપ્રેમ વધવું જ જોઈએ. કેશવભાઈ બટાકે વઘુમાં કહ્યું કે ઑસ્ટ્રેલિયા, રશિયા, યૂએસએ, ન્યૂઝીલેન્ડ, જાપાન, જર્મની, કેનેડામાં સનાતની ભારતીયોએ ભી રામનવમીની ધામધૂમથી ઉજવણી કર્યુ છે. લેસ્ટરમાં શ્રીદમણિયા માછી મહાજન (લેસ્ટર,યૂકે) ભી પોતાના હૉલમાં સ્વજનો સાથે રામનવમીનું સેલિબ્રેશન ભક્તિભાવથી કર્યુ હતું. એનઆરઆઈ કેશવભાઈ બટાકે કહ્યું કે આવનાર સમય ભારતનું છે. બધા ભારતીઓને એકજુટ થઈ રાષ્ટ્રને બધુ મજબૂત કરવું જોઇયે. અમુક ભારતીઓને પાડોશી દેશની ચિંતા છોડી નેશન ફર્સ્ટની સોચ રાખી ભારતના હિત પહેલા વિચારવું જોઈએ.
દ્વારા
કેશવભાઈ બટાક,
કન્વીનર, NRI
Group, London-UK






Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877