Explore

Search

July 5, 2025 1:47 pm

लेटेस्ट न्यूज़
Advertisements

શિવ કથા : ભાગ 17 શ્રાવણ વદ ચોથ શિવને પ્રિય બિલીપત્રની કથા : Manoj Acharya

શિવ કથા : ભાગ 17 શ્રાવણ વદ ચોથ શિવને પ્રિય બિલીપત્રની કથા : Manoj Acharya

શિવ કથા : ભાગ 17
શ્રાવણ વદ ચોથ
શિવને પ્રિય બિલીપત્રની કથા
☘️☘️☘️☘️☘️☘️☘️☘️
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શિવપુરાણની કથા વાંચવાથી પણ પુણ્ય મળે છે. તે વાત તો બધા જ જાણે છે કે પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની બીલીપત્ર ચઢાવવાથી ખૂબ જ પૃણ્ય મળે છે. પણ શું તમને બીલીપત્ર સાથે જોડાયેલી પૌરાણિક કથા વિષે જાણ છે? આવો, જાણો કેવી રીતે બીલીપત્રના વૃક્ષનો જન્મ થયો અને તે કેમ શિવજીને આટલું પ્રિય છે. સ્કંદપુરાણ પ્રમાણે એક વાર માતા પાર્વતી મંદરાચળ પર્વત પર વિહાર કરી રહ્યા હતા ત્યારે તેમના પરસેવાના કેટલાંક ટીંપા મંદરાચળ પર્વત પર પડ્યા હતા. અને તેમાંથી આ બીલીપત્રનું ઝાડ ઉતપન્ન થયું હતું. આથી એવું મનાય છે કે માતા પાર્વતીમાંથી જ આ ઝાડ ઉગ્યું હતું અને તેમાં માતા પાર્વતની બધા જ સ્વરૂપોનો વાસ હોય છે. બીલીપત્રના ઝાડના મૂળમાં ગિરીજા સ્વરૂપમાં, તેના રેસામાં માહેશ્વરીના સ્વરૂપમાં અને શાખાઓમાં દક્ષિણાયની અને બીલીના પાનમાં પાર્વતીના સ્વરૂપે રહે છે. ફળોમાં કાત્યાયની સ્વરૂપ અને ગૌરી સ્વરૂપ નિવાસ કરે છે. આ બધા રૂપ ઉપરાંત મા લક્ષ્મીનું રૂપ સમસ્ત વૃક્ષમાં નિવાસ કરે છે. બીલીપત્રમાં માતા પાર્વતીનું પ્રતિબિંબ હોવાને લીધે તેને ભગવાન શિવ પર ચઢાવવામાં આવે છે. ભગવાન શિવ પર બીલીપત્ર ચઢાવવાથી ભોળાનાથ અતિ પ્રસન્ન થાય છે. અને ભક્તની મનોકામનાઓ પૂર્ણ કરે છે. જે વ્યક્તિ કોઈ તીર્થસ્થાનમાં નથી જઈ શકતા તેઓ શ્રાવણ માસમાં બિલીપત્રના ઝાડના મૂળના ભાગની પૂજા કરીને તેમાં જળ રેડે છે તેને બધા તીર્થોના દર્શનનું પુણ્ય મળે છે. તેમ મનાય છે. ઉલ્લેખનીય છે કે બીલીપત્ર તોડતી વખતે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી તોડવું જોઇએ. સાથે જ કાણાંવાળા કે પાન ઉપરથી તૂટેલા હોય તેવા બીલીપત્ર શિવજી પર નથી ચઢતા. વધુમાં બીલીપત્રની લીસી બાજુ શિવજી પર ચઢાવવામાં આવે છે અને તે પછી તેની પર જળાભિષેક કરવો પણ જરૂરી છે. શ્રાવણ માસમાં બીલીપત્રનો અભિષેક કરવાથી પુણ્ય મળે છે તેમ શાસ્ત્રોમાં લખ્યું છે. બિલીપત્ર સાથે જોડાયેલી અમુક મહત્વની વાત બતાવવામાં આવી છે. એ સિવાય જો તમે તમારા ઘરની અંદર ઉત્તર પશ્ચિમ ખૂણામાં બિલીપત્રનું ઝાડ લગાવો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું બતાવવામાં આવે છે કે ઘરમાં બિલીપત્રનું ઝાડ હોવાના કારણે ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર બની રહે છે. જો કોઈ કારણવશ તમે ઉત્તર પશ્ચિમ દિશામાં બિલીપત્રનું ઝાડ ન લગાવી શકો તો એને ઘરની ઉત્તર દિશામાં પણ લગાવી શકો છો.
।। हर हर महादेव हर ।।
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements