Explore

Search

August 2, 2025 2:08 am

लेटेस्ट न्यूज़
Advertisements

દમણ પુલ દુર્ઘટના કેસ મામલે કેશવ બટાકે ડી.આઈ.જી.વિક્રમજીત સિંહ પાસેથી માહિતી માંગી

દમણ પુલ દુર્ઘટના કેસ મામલે કેશવ બટાકે ડી.આઈ.જી.વિક્રમજીત સિંહ પાસેથી માહિતી માંગી

દમણ પુલ દુર્ઘટના કેસ મામલે
કેશવ બટાકે ડી.આઈ.જી.વિક્રમજીત સિંહ પાસેથી માહિતી માંગી
દમણ પુલ દુર્ઘટના પિડીત કમિટી દ્વારા પુલ દુર્ઘટના કેસ મામલે ડી.આઈ.જી.પી. વિક્રમજીત સિંહ પાસેથી માહિતી માંગવામાં આવી છે. કમિટીના મહામંત્રી કેશવ બટાક દ્વારા તા.17 /11/2021 ના રોજ માહિતી અધિનિયમ ના કાયદા મુજબ જે માહિતી માંગવામાં આવી છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે તા 28/2/2003 ના રોજ જે પુલ દુર્ઘટના ઘટી હતી તેમાં 28 બાળકો એક શિક્ષક અને એક રાહદારી મળી કુલ 30 વ્યક્તિઓના કરુણ મોત થયા હતા.આ ઘોઝારી ઘટનામાં પોલિસ વિભાગમાં જે ક્રિમિનલ કેસ નં 65/2008 નોંધાયેલ છે તેની તપાસ ક્યાં સુધી કરવામાં આવી છે અને હાલમાં કયા પોલીસ કાર્યાલય હસ્તક એની તપાસ કરવામાં આવી રહી છે તેની જાણકારી આપવામાં આવે. કારણ કે આ 28 માસૂમ બાળકોના મોતનો મામલો છે.સાથે દમણ દીવના આજ સુધીના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના હોય, પીડિત પરિવારોની સાથે દમણવાસીઓ પણ ઘણાં લાંબા સમયથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે.જેથી આ કેસ સંદર્ભમાં તમામ પ્રકારની માહિતી આર.ટી. આઈ કાયદા મુજબ જાહેર હિતમાં આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements