લાયન્સ ક્લબ ઓફ નાઇસ અને કશ્યપ સ્વીટનર્સ લિ. નાં સયુંકત ઉપક્રમે કશ્યપ સ્વીટનર્સ લિ.જીઆઈડીસી વાપી ખાતે રકતદાન શિબિર નું આયોજન તા.૩૧.૩.૨૦૨૨ નાં રોજ સવારે ૧૦ કલાક થી શરૂ કરવામાં આવ્યું હતું. કમ્પની નાં કામદારો એ રકતદાન કર્યું હતું. આ પ્રસંગે ચાર્ટડ પ્રમુખ શેલેષ ભાઇ મહેતા એ જણાવ્યું હતું કે રક્ત પૂરા બ્રહ્માંડ માં કે કોઇ કમ્પની માં બનાવી નથી શકાતું તથા રકતદાન શિબિર માં જે રક્તદાતાઓ રકતદાન કરે છે તેઓ પુણ્ય નું ભાથું બાંધી રહ્યાં છે; અને રક્ત ની માંગ પણ છે. લોકો એ સોસાયટીઓ માં કે કમ્પની માં રકતદાન શિબિર નું આયોજન કરવું જોઇએ. ત્યારે એ વિચારવાની જરૂર નથી કે વધુ માત્રા માં રક્ત એકત્ર થશે કે નહીં કારણ કે વલસાડ, પારડી માં આવેલ રકતદાન બેન્કો માં રક્ત ની અછત વર્તાઈ રહી છે.
રકતદાન શિબિર નાં પ્રોજેક્ટ ચેરમેન વિનય કુમારે જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ ઓફ નાઇસ તરફથી જાણ કરવામાં આવી હતી કે રક્ત ની માંગ છે જેથી કમ્પની માં રકતદાન શિબિર નું આયોજન કરો જે સંદર્ભે આજે રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. ૩૫ થી ૪૫ યુનિટ રક્ત મળવાની સંભાવના છે.
આ રકતદાન કેમ્પમાં લા.સ્મિતા બેન મહેતા,લા.રમિંદર સિંઘ ખનુજા, લા.ગુરુપ્રિત કૌર, લા.ઉમેશભાઇ સંઘવી, લા.મધુ બેન ભાનુશાલી, લા.એસ.કે.શુક્લાજી તથા અન્ય લોકો હાજર રહ્યાં હતાં.






Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877