Explore

Search

September 13, 2025 8:09 pm

लेटेस्ट न्यूज़
Advertisements

સાળંગપુર ઘામમાં હાઇટેક ભોજનાલયનું કામ અત્યારે 70% પૂર્ણ : Urvashi Shah

સાળંગપુરના ભોજનાલયની ટાઇલ્સનો મેકિંગ VIDEO:ડિઝાઇન-ચમકથી આંખો અંજાઈ જાય, 25 તીર્થધામની માટીનો ઉપયોગ, મોરબીની ફેક્ટરીની અંદરનાં એક્સક્લૂસિવ દૃશ્યો

સાળંગપુર ઘામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરિસરની બાજુમાં 50 કરોડથી વધુના ખર્ચે આકાર લઈ રહેલાં હાઇટેક ભોજનાલયનું કામ અત્યારે 70% પૂર્ણ થઈ ગયું છે. આ ભોજનાલયમાં બાંધકામમાં વપરાતી દરેક વસ્તુ વિશેષ છે. જેમાં શ્રીરામ લખેલી 12 લાખથી વધુ ઇંટોનો ઉપયોગ દીવાલ બનાવવા માટે કરવામાં આવ્યો છે. હવે ભોજનાલયના ફ્લોરિંગનું કામ શરૂ થઈ રહ્યું છે. જેમાં વિશેષ પ્રકારની ટાઇલ્સ લગાવવામાં આવશે. ભોજનાલયના ફ્લોરિંગમાં જે ટાઇલ્સ લગાવવામાં આવશે તે ભારતના 25 તીર્થધામ જેવા કે, બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ, સોમનાથ અને દ્વારકા સહિતના પૌરાણિક સ્થળેથી એકત્ર કરાયેલી પ્રસાદીની માટીમાંથી બનાવવામાં આવી છે. જેથી અહીં આવતાં દરેક શ્રદ્ધાળુઓને વિશેષ આસ્થાની અનૂભુતી થશે. મહત્ત્વનું છે કે, આ માટે વડતાલના આચાર્ય રાકેશપ્રસાદદાસજી, અને વડતાલ ટ્રસ્ટી બોર્ડના સાથ સહકારથી શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામી અને સંતોએ ખાસ ટાઇલ્સ બનાવડાવી છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements