Explore

Search

October 30, 2025 2:16 pm

लेटेस्ट न्यूज़
Advertisements

હિન્દુ ધર્મમાં મીમાંસા શાસ્ત્ર અને શિલ્પ શાસ્ત્ર મુજબ માનવીના કુલ 16 સંસ્કારો : Manoj Acharya

હિન્દુ ધર્મમાં મીમાંસા શાસ્ત્ર અને શિલ્પ શાસ્ત્ર મુજબ માનવીના કુલ 16 સંસ્કારો : Manoj Acharya

પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્યા અને મારા ધર્મપત્ની નયનાના મોટાબેન કુંદનબેન રાજેન્દ્રકુમાર પંડ્યા (વિરમગામ, હાલ અમદાવાદ) તેમની સુપુત્રી હાર્દિકા ક્ષિતિજકુમાર ત્રિવેદીની પાંચ મહિનાની સુપુત્રી શરણ્યાને લઇને ખાસ અમદાવાદથી શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે તા. 18 માર્ચ, શનિવારે સવારે 11.30 વાગે માતાજીનાં દર્શનાર્થે તથા “અન્નપ્રાશન સંસ્કાર” અર્થે આવેલ ત્યારે નાની બાળકી શરણ્યાને પુ. ગુરુદેવે સૌપ્રથમ અન્નપ્રાશન કરાવ્યું હતું. હિન્દુ ધર્મમાં મીમાંસા શાસ્ત્ર અને શિલ્પ શાસ્ત્ર મુજબ માનવીના કુલ 16 સંસ્કારો શાસ્ત્રોમાં વર્ણવેલા છે. અન્ન મનુષ્ય શરી૨ના નિર્વાહનું અનિવાર્ય તત્ત્વ છે. નવજાત બાળકને પ્રથમ વાર અન્નગ્રહણ કરાવવામાં આવે, એ પ્રક્રિયાને અન્નપ્રાશન સંસ્કાર કહે છે. સામાન્ય રીતે જન્મ પછીના છઠ્ઠા મહિને આ સંસ્કાર કરવામાં આવે છે. શાસ્ત્રમાં અન્નને બ્રહ્મ સ્વરૂપ માનવામાં આવ્યું છે. ‘अन्न एवं ब्रह्म’, ‘જૈસા અન્ન, વૈસા મન,’ આવાં સૂત્રો દ્વારા અન્નનું મહત્ત્વ સમજાય છે. અન્ન ખાવાની પ્રક્રિયાને આપણે ભોજન કહીએ છીએ. ભોજન આપણે માટે સંસ્કાર છે. અન્ન માત્ર શરીરનિર્વાહ માટે જ નહીં, પરંતુ શ્રેષ્ઠ વિચારોનું સર્જન પણ કરે છે. જેવું ભોજન તેવા વિચાર, જેવા વિચાર તેવું કાર્ય. આથી આપણે ત્યાં અન્ન ગ્રહણ કરવાની પ્રક્રિયાને પણ સંસ્કાર કહે છે અને પોતાના ગુરૂદેવ પાસે કરાવવામાં આવતો આ સંસ્કાર દિવ્ય હોય છે. સમગ્ર પંડ્યા તથા ત્રિવેદી પરિવાર પુ. શ્રી માડીમાં અતુટ આસ્થા ધરાવે છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements