વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day) દર વર્ષે ’18 એપ્રિલ’ના રોજ ઉજવાય છે.
સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા યુનેસ્કોએ આપણા પૂર્વજોએ આપેલા વારસાને અમૂલ્ય ગણીને અને તેને સુરક્ષિત અને જાળવી રાખવાના ઉદ્દેશ્યથી વિશ્વ વિરાસત દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. કોઈપણ રાષ્ટ્રનો ઈતિહાસ તેના વર્તમાન અને ભવિષ્યનો પાયો હોય છે. જે દેશનો ઈતિહાસ જેટલો ગૌરવશાળી હશે તેટલું જ તેનું સ્થાન વૈશ્વિક સ્તરે ઊંચું ગણવામાં આવશે. એ પણ હકીકત છે કે, ભૂતકાળ ક્યારેય પાછો આવતો નથી. તે સમયગાળામાં બનેલી ઈમારતો અને લખાયેલું સાહિત્ય એને હંમેશ માટે જીવંત રાખે છે. વિશ્વ વિરાસતના સ્થળોને કોઈપણ રાષ્ટ્રની સંસ્કૃતિ અને તેની પ્રાચીન સંસ્કૃતિના મહત્વપૂર્ણ પ્રતીક ગણવામાં આવે છે. હાલ ભારતમાં 40 સ્થળોને 40 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ તરીકે માન્યતા આપવામાં આવી છે, જેમાં સાત પ્રાકૃતિક, 32 સાંસ્કૃતિક અને એક મિશ્ર હેરિટેજ સાઇટ છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877