Explore

Search

August 2, 2025 12:23 pm

लेटेस्ट न्यूज़
Advertisements

ધાર્મિક શિવ કથા : ભાગ 215 શ્રાવણ સુદ ત્રીજ : સતી જન્મ. શીવ સતી વિવાહ. : MANOJ ACHARYA

ધાર્મિક શિવ કથા : ભાગ 215 શ્રાવણ સુદ ત્રીજ : સતી જન્મ. શીવ સતી વિવાહ. : MANOJ ACHARYA

ધાર્મિક શિવ કથા : ભાગ 215
શ્રાવણ સુદ ત્રીજ : સતી જન્મ. શીવ સતી વિવાહ. દક્ષ યજ્ઞ વિધ્વંશ તથા દક્ષને શ્રાપ અને કનખલને આશીર્વાદ
🕉️ 🛕 🚩 🛕
શિવ પુરાણ મુજબ મહારુદ્ર પરમેશ્વર હતા પરંતુ સૃષ્ટિના સર્જન માટે એક સ્ત્રી શક્તિ આદિ શક્તિ જરૂરી હતી એટલે પ્રકૃતિમાંથી આદિ શક્તિ પ્રગટ થયા અને વાયુ મંડળમાં સ્થાન બનાવ્યું.. શિવજીનાં કહેવાથી બ્રહ્માજીને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કામ સોંપાયું અને વિષ્ણુ ભગવાનને સૃષ્ટિનું લાલન-પાલન-પોષણનું કામ સોંપાયું. બ્રહ્માજીએ 4 સનકાદી, સપ્ત ઋષિઓ, જગતનાં પ્રથમ પુરૂષ-સ્ત્રી મનુ અને શતરૂપા ઉપરાંત દક્ષ પ્રજાપતિને માનસ પુત્ર તરીકે ઉત્પન્ન કર્યા હતા જેને ઘેર 26 દીકરીઓ હતી.. પરંતુ એમને આદિ શક્તિના તપ દ્વારા એક વરદાન માગ્યું અને એક દિવ્ય તેજ અને શક્તિઓવાળી એક દીકરી વરદાનમાં માંગી. સમય જતાં આ પૃથ્વીના પ્રથમ પ્રજાપતિ દક્ષના ઘેર સતીનો જન્મ થયો.. પિતા ભ્રહ્માનું પાંચમું મુખ કપાઈ જવાથી સમય જતાં દક્ષ શિવથી ઘૃણા કરવા લાગ્યા અને એક સમયે દક્ષની સભામાં માન આપવા શિવ ઉભા ના થયા એટલે દક્ષને વેર ભાવના ઉતપન્ન થઈ.. દક્ષ પ્રજાપતિને નહોતી ખબર કે સતી આદિ શક્તિ છે. સતી તો ધીમે ધીમે શિવભક્તિમાં લીન થવા લાગી અને નંદાવૃતનું પાલન કરી શિવજીનાં પંચાક્ષર મંત્રનો જાપ કરતા શિવજીને પતિ સ્વરૂપમાં પામવા કઠોર તપશ્ચર્યા કરવા લાગ્યા પરંતુ પિતા દક્ષ એમના વિરુદ્ધ હતા.. ઉંમર લાયક થતા સતીનો સ્વયંવર કરવામાં આવ્યો, જેમાં વર તરીકે શિવની મૂર્તિને સતીએ હાર પહેરાવ્યો અને મહાદેવે સાક્ષાત પ્રગટ થઈને સતીનો પત્ની તરીકે સ્વીકાર કરી હિમાલયમાં લઇ ગયા.. વેર અને બદલો લેવાની ભાવનાથી સમય જતાં દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું અને બધા દેવી દેવતાઓને બોલાવ્યા પરંતુ શિવ સતીને આમંત્રણ ના આપ્યું.. બહુ સમજાવ્યા છતાં સતી શિવની વાત ના માન્યા અને વગર આમંત્રણ પિતાના ઘેર હવનમાં ગયા. પરંતુ ત્યાં શિવનું સ્થાન નહોતું જે અપમાનજનક થયું. આ સહન ના થતા સતીએ આદિશક્તિનું રૂપ લઇને હવનમાં જ શરીરનો ત્યાગ કર્યો.. આ ખબર મહાદેવને મળતા જ શિવે જટામાંથી વિરભદ્ર ઉત્પન્ન કર્યા અને દક્ષનો નાશ કરી બકરાનું મોઢું લગાવ્યું અને વિરભદ્રે સમગ્ર સભાનો નાશ કર્યો. બળેલા શરીરને લઇને મહાદેવ હજારો વર્ષો સુધી બ્રહ્માંડમાં ભટક્યા અને શ્રુષ્ટિનો સંચાર સ્થિર થઈ ગયો. ત્યારે આદિ નારાયણે ચક્ર દ્વારા સતીના મૃત શરીરમાં 51 કટકા કર્યા. જ્યાં જ્યાં સતીના શરીરના આ 51 કટકા પડ્યા ત્યાં એક શક્તિપીઠની સ્થાપના થઇ ગઇ અને માતાજી તરીકે પૂજાવા લાગ્યા અને એમની રક્ષા માટે એક એક કાલ ભૈરવ મહાદેવે ઉત્પન્ન કર્યા. દક્ષને એમના પાપનું ભાન થયું અને બકરાના મોઢા દ્વારા શિવ ભક્તિ શરૂ કરી.. જ્યાં આ ઘટના બની તે હરિદ્વારમાં આવેલ કનખલને પવિત્ર કરવા વરદાન મળ્યું કે ત્યાં આદિ કાળ સુધી ગંગા વહન કરશે.. આજે પણ આ સ્થાન મોજુદ છે. મહાદેવ ફરીથી વૈરાગ્ય ધારણ કરીને હજારો વર્ષોની તપસ્યા માટે અમરનાથ તરફ પ્રયાણ કર્યું..
હર હર મહાદેવ.. જય મહાકાલ..
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
😊😊🌸🌸🙏🏽🙏🏽

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements