Explore

Search

August 2, 2025 5:23 am

लेटेस्ट न्यूज़
Advertisements

ધાર્મિક શિવ કથા : ભાગ 216શ્રાવણ સુદ ચોથ : શિવ પુરાણ મહાતમ્ય🕉️****🕉️- Manoj Acharya

ધાર્મિક શિવ કથા : ભાગ 216શ્રાવણ સુદ ચોથ : શિવ પુરાણ મહાતમ્ય🕉️****🕉️- Manoj Acharya

ધાર્મિક શિવ કથા : ભાગ 216
શ્રાવણ સુદ ચોથ : શિવ પુરાણ મહાતમ્ય
🕉️****🕉️
પુરાણોમાં શિવ શંકર ભગવાન વિશે અનેક વખત વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. શિવમહાપુરાણમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી વિશે તથા તેના વાર્તાલાપ અંગેનું સરસ આલેખન છે. તમામ પુરાણોમાં શિવમહાપુરાણનું એક આગવું મહત્ત્વ છે. આ ઉપરાંત બીજા પુરાણો કરતા તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં શિવજીના વિવિધ રુપ, અવતાર, જ્યોતિર્લિંગ, ભક્તો અને ભક્તિનું વર્ણન આપવામાં આવ્યું છે. તમામ પુરાણોમાં શિવને ત્યાગ, તપસ્યા, વાત્સલ્ય તથા કરુણામૂર્તિ દર્શાવવામાં આવ્યા છે. એવું પણ કહેવાય છે કે, શિવ ઝડપથી પ્રસન્ન થતા દેવો પૈકી એક છે. આ સિવાય તેઓ મનપસંદ ફળ આપનારા છે. શિવપુરાણમાં શિવજીના જીવનચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં સંસાર, વિવાહ અને પુત્રની ઉત્પતીની વાતનો સમાવેશ થાય છે. શિવમહાપુરાણમાં 12 સ્કંઘ છે. જેના દરેક સ્કંધમાં શિવજીના જુદા જુદા રૂપ અને તે રુપનો મહિમા દર્શાવાયો છે. આ પુરાણમાં કુલ 24000 શ્લોક છે તથા ક્રમશઃ 6 ખંડ છે. વિશ્વેસર સંહિતા, રુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાશ સંહિતા અને વાયુ સંહિતા. પહેલા સ્કંઘમાં શિવમહાપુરાણની મહિમાનું વર્ણન છે. બીજા સ્કંઘમાં શિવના પ્રકાર અને પૂજાનું વર્ણન છે. ત્રીજા સ્કંધમાં પાર્વતીની કથાનું વર્ણન છે. ચોથા સ્કંધમાં ભગવાન કાર્તિકેયની કથાનું વર્ણન છે. પાંચમા સ્કંધમાં શિવજીએ કરેલા ત્રિપુરાસુરના વધની કથા છે. છઠ્ઠા સ્કંધમાં શતરુદ્રસંહિતામાં શિવના અવતારો અને શિવની પ્રતિમાની કથા છે. સાતમા સ્કંધમાં 12 જ્યોતિર્લિંગની કથા છે. આઠમાં સ્કંધમાં મૃત્યું અને નરકનું વર્ણન છે. નવમાં સ્કંધમાં શિવના અર્ધનારેશ્વર રુપનું વર્ણન છે. દસમા સ્કંધમાં શિવની વિભૂતીઓનું વર્ણન છે. કોઈ પણ વ્યક્તિ કોઈ કામ કરે તે પહેલાં તેનાથી શું લાભ થવાનો છે તેના વિશે વિચારે છે. આ પુરાણની શરુઆતમાં જ તેના મહિમા અને લાભ અંગે વાત કરવામાં આવી છે. આ પુરાણ વાંચવાથી ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. અજાણતા કોઈ પાપ થયું હોય તો તેની મુક્તિ પણ આ પુરાણ વાંચવાથી થાય છે. આ પુરાણ વાંચવાથી મૃત્યુ બાદ શિવજીના ગણ વ્યક્તિને લેવા માટે આવે છે. શ્રાવણ મહિનામાં શિવપુરાણ વાંચવાથી અનેક લાભ થાય છે. આ સાથે આપને શિવપૂરાણનું પુસ્તક પણ મોકલું છું. જરૂર મનન કરજો. 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements