“London. ૨૩-૧૨-૨૦૨૩
” શ્રીરામ મંદિર સનાતન યુગપ્રવર્તક’, નમો કળિયુગના ભગીરથ! હવે ‘હિન્દૂ રાષ્ટ્ર’ અટલ” : કેશવ બટાક
લંડન. એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકેના કન્વીનર પ્રખર હિન્દુત્વવાદી કેશવભાઈ બટાકે કહ્યું કે અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ સાથે સનાતન યુગનો આરંભ થશે. ભારત હિન્દૂ રાષ્ટ્ર બનીને વિશ્વગુરૂ તરીકે સમગ્ર દુનિયાના નેતૃત્વ કરશે. યૂકેમાં ‘હિન્દુત્વ સનાતન હિતો’ ના મુદ્દાઓ પર સદાય અગ્રેસર રહેનાર કેશવભાઈ બટાકે સેન્ટ્રલ લંડનથી જારી કરેલા પ્રેસ બયાનમાં કહ્યું કે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર રામજીના મંદિરનું નિર્માણ સાઢ઼ા પાંચ સૌ વર્ષથી હિન્દુઓનું સ્વપ્ન હતું. નરેન્દ્ર મોદીજીના સુશાસનમાં શ્રીરામ જન્મભૂમિ વિવાદનો કોર્ટથી સુખદ નિપટારા બાદ અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિર બની રહ્યું છે. ૨૨ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હસ્તે શ્રીરામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરાશે. ત્રેતાયુગમાં ભગીરથે ગંગાજીને સ્વર્ગથી ઘરતી પર લાવી અશક્ય કાર્યને શક્ય કર્યુ હતું. હવે નરેન્દ્ર મોદીજી અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ કરાવી ‘કલિયુગના ભગીરથ’ બની ગયા છે. કેશવભાઈ બટાકે કહ્યું કે પ્રભુ શ્રીરામ સૌના આદર્શ સાથે મર્યાદા (ગૌરવ) ના શિખર છે. શ્રીરામજીના રાજકાજ સુશાસનો પર્યાય છે, એટલે તેને રામરાજ્ય કહેવાય છે. અયોધ્યામાં શ્રીરામ મંદિર સાથે નવયુગારંભ થશે. આ નવયુગમાં ભારત હિન્દૂ રાષ્ટ્ર બની વિશ્વગુરૂ તરીકે દુનિયાના નેતૃત્વ કરશે. વિશ્વમાં રાજ બનેલા હોવાનું રટણ કરતા ઝગડાળુ પંથે પતન તરફ વધી રહ્યા છે. આવનાર યુગ હિન્દુત્વ સનાતનનો હશે. એનું એધાણ થયું રહ્યું છે.
લિ.
NRI Group London UK




Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877








