Explore

Search

July 5, 2025 10:18 pm

लेटेस्ट न्यूज़
Advertisements

લખતરનાં લીલાપુર – આદલસર ગામે બળેવ દોડાવવાની પરંપરા : Manoj Acharya

લખતરનાં લીલાપુર – આદલસર ગામે બળેવ દોડાવવાની પરંપરા : Manoj Acharya

લખતરનાં લીલાપુર – આદલસર ગામે બળેવ દોડાવવાની પરંપરા નિભાવાઈ.
રક્ષાબંધન – શ્રાવણી પૂનમે બળેવ દોડાવવાની પરંપરા આજે પણ યથાવત
શ્રાવણ સુદ પુનમ એટલે કે, રક્ષાબંધનના દિવસે ગામડાઓમાં બળેવ દોડાવવાની પરંપરા ચાલતી હતી. લુપ્ત થતી જતી આ પરંપરાને લખતર તાલુકાનાં આદલસર, લીલાપુર જેવા ગામોનાં ગ્રામજનોએ જાળવી રાખી છે. જેમાં ચાર મહીના અષાઢ, શ્રાવણ, ભાદરવો, અને આસોના નામ ઉપર ચાર યુવાનો તૈયાર કરવામાં આવે છે, જે માથે માટલી મુકી તળાવમાં ડુબકી મારે છે. માટલીમાં જે પાણી ભરાય તેના ઉપરથી આવતા વર્ષનો વર્તારો નકકી કરવામાં આવે છે. રક્ષાબંધન અને શ્રાવણી પુનમે લીલાપુર અને આદલસર ગામના ગ્રામજનોએ આ પરંપરા નિભાવી હતી. ગામમાં સાંજે ચરમાળીયા દાદાના મંદિરથી જોગણી માતાના રથની શરૂઆત કરવામાં આવે છે. રથની સાથે કાચા દોરા અને દુધની ગામ ફરતે ધારાવહી કરીને જોગણી માતાનો રથ ગામમાં ફેરવવામાં આવે છે. જેથી કોઈપણ જાતનો રોગચાળો નથી આવતો તેવું માનવામાં આવે છે. ગામના પાદરે આવીને ચાચર ભરવામાં આવે છે, ત્યારબાદ અષાઢ, શ્રાવણ, ભાદરવો, અને આસો એમ ચાર મહીનાના નામ ઉપરથી ચાર યુવાનો તૈયાર કરવામાં આવે છે. ચારેય બળેવના માથે માટીની માટલી મુકીને ગામના તળાવની અંદર પાંચ પ્રદક્ષીણા ફરી ડુબકી લગાવીને કયા મહીનાના નામની માટલીમાં વધુ પાણી આવ્યુ અને કઈ માટલીમાં ઓછુ પાણી આવ્યુ તે જોઈ તેના ઉપરથી આવતા વર્ષનો વર્તારો નકકી કરવામાં આવે છે. બળેવ તળાવમાં ડુબકી લગાવીને પાછા વળે ત્યારબાદ માટલી ફોડે છે. તે માટલીમાંથી નીકળતી કાટલીઓ અને ઠીકરીઓ લેવા ગ્રામજનોમાં પડાપડી થતી હોય છે. કારણ કે, આ ઠીકરી જો અનાજના કોઠારમાં રાખવામાં આવે તો અનાજ બગડતુ નથી અને અનાજના ભંડાર ભરેલા રહે છે. રક્ષાબંધનના દિવસે લીલાપુર અને આદલસર ગામના ગ્રામજનો દ્વારા આ પરંપરા ઉત્સાહ અને આસ્થાપૂર્વક નિભાવવામાં આવી હતી.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય, રાજકોટ

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements