Explore

Search

July 6, 2025 2:39 pm

लेटेस्ट न्यूज़

श्री जगन्नाथ मंदिर सेवा संस्थान दुनेठा दमण ने जगन्नाथ भगवान की रथ यात्रा दुनेठा मंदिर से गुंडीचा मंदिर अमर कॉम्प्लेक्स तक किया था यात्रा 27 जुन को शुरु हुई थी, 5 जुलाई तक गुंडीचा मंदिर मे पुजा अर्चना तथा भजन कीर्तन होते रहे यात्रा की शुरुआत से लेकर सभी भक्तजनों ने सहयोग दिया था संस्थान के मुख्या श्रीमति अंजलि नंदा के मार्गदर्शन से सम्पन्न हुआ

Advertisements

શિવ કથા : ભાગ 25 શ્રાવણ વદ અગિયારસ : Manoj Acharya

શિવ કથા : ભાગ 25 શ્રાવણ વદ અગિયારસ : Manoj Acharya

શિવ કથા : ભાગ 25
શ્રાવણ વદ અગિયારસ
(નોંધ : આ વખતે બે અગિયારસ આવી છે એટલે ગઇકાલે અગિયારસ હતી અને આજે પણ છે, તે ઉપરાંત જૈનોનાં પવિત્ર તહેવાર પર્યુષણનો પણ પ્રારંભ થાય છે.)
મહામૃત્યુંજય મંત્રનું મહત્વ – ભાગ 1
🕉️🍁🕉️🌺🕉️☘️🕉️🌹
ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે સૌથી વધારે પ્રભાવશાળી મંત્ર મહામૃત્યુંજય મંત્ર માનવામાં આવે છે. આ મંત્ર અકાળે મૃત્યુના ભય અને અપશુકનને ટાળવાની ક્ષમતા રાખે છે. આ મંત્રની રચના માર્કંડેય ઋષિએ કરી હતી. તેનું વર્ણન ઋગ્વેદમાં મળી આવે છે. આવો જાણીએ આ મંત્ર સાથે જોડાયેલી રચના અને ખાસ વાતો…
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्‌॥
મહામૃત્યુંજય મંત્રની રચના કરનારા માર્કંડેય ઋષિ તપસ્વી અને તેજસ્વી મૃકંડ ઋષિના પુત્ર હતા. ખૂબ તપસ્યા બાદ મૃકંડ ઋષિના ઘરે પુત્રનો જન્મ થયો, જેનું નામ માર્કંડેય રાખ્યું પરંતુ બાળકના લક્ષણ જોઈને જ્યોતિષિઓએ કહ્યું કે, આ શિશુ અલ્પાયુ છે અને તેની ઉંમર માત્ર 12 વર્ષ છે. જ્યારે માર્કંડેયનું શિશુકાળ ખતમ થયો અને તે બોલવા અને સમજવા યોગ્ય થયા ત્યારે તેમના પિતાએ અલ્પાયુની વાત કરી. સાથે જ શિવજીની પૂજાનો મંત્ર આપતા કહ્યું શિવ જ તને મૃત્યુના ભયથી મુક્ત કરાવી શકે છે ત્યારે બાળક માર્કંડેયે શિવ મંદિરમાં બેસીને સાધના શરૂ કરી દીધી. જ્યારે માર્કંડેયના મૃત્યુનો દિવસ નિકટ આવ્યો ત્યારે તેમના માતા-પિતા પણ મંદિરમાં શિવ સાધવા માટે બેસી ગયા. જ્યારે અંતિમ સમય નિકટ આવતા યમરાજના દૂત તેમને લેવા આવ્યા પરંતુ મંત્રના પ્રભાવના કારણે તેઓ બાળકની પાસે આવવાની હિંમત ન કરી શક્યા અને મંદિરની બહારથી જ પાછા જતા રહ્યા. તેમણે જઈને યમરાજને સમગ્ર વાત જણાવી. તેના પર યમરાજ સ્વયં માર્કંડેયને લેવા માટે આવ્યા. યમરાજની લાલ આંખો, ભયાનક રૂપ, ભેંસની સવારી અને હાથમાં શસ્ત્ર જોઈને બાળ માર્કંડેય ડરી ગયા અને તેમણે રડતા રડતા શિવલિંગને બાથ ભરી લીધી. જેવું માર્કંડેયએ શિવલિંગને આલિંગન કર્યું સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા અને ક્રોધિત થઈને યમરાજને કહ્યું મારી શરણમાં બેઠેલા ભક્તને મૃત્યુદંડ આપવાનો વિચાર પણ તમને કેવી રીતે આવ્યો? તેના પર યમરાજ બોલ્યા, પ્રભુ હું ક્ષમા ઈચ્છું છું. વિધાતાએ કર્મોના આધારે મૃત્યુદંડ આપવાનું કામ મને સોંપ્યું છે. હું તો માત્ર મારી ફરજ નિભાવવા આવ્યો છું. તેના પર શિવ બોલ્યા મેં આ બાળકને અમરતાનું વરદાન આપ્યું છે. શિવ શંભૂના મોઢેથી આ વાત સાંભળીને યમરાજ તેમને પ્રણામ કર્યા અને ક્ષમા માગીને ત્યાંથી જતા રહ્યા. આ કથા માર્કંડેય પુરાણમાં છે.
પૃથ્વી પર જે સાત અમર વ્યક્તિ છે, તેમાંથી માર્કંડેય ઋષિ પણ છે. આવો જાણીએ તેમને આપેલા મહામૃત્યુંજય મંત્રનો મતલબ..
ત્ર્યંબકમ્ :- ત્રણ નેત્રોવાળા
જામહે :- જેમનું આપણે હ્રદયથી સન્માન અને પૂજા કરીએ છીએ.
સુગંધિમ :- જે એક મધુર સુગંધ સમાન છે.
પુષ્ટિ : – વિકાસની સ્થિતિવર્ધનમ્ :- જે પોષણ કરે છે, વધવાની શક્તિ આપે છે.
ઉર્વારૂકમ્ :- જેમ, આવી રીતે.
બંધનાત્ :- બંધનોથી મુક્ત કરાવનારા
મૃત્યો મૃત્યુથીમુક્ષીય :- અમને સ્વતંત્ર કરો, મુક્તિ આપો. માઅમૃતાત્ :- અમરતા, મોક્ષ. ભાવાનુવાદ :- અમે ભગવાન શિવશંકરની પૂજા કરીએ છીએ. જેમના ત્રણ નેત્ર છે, જે સંપૂર્ણ જગતનું પાલન પોષણ પોતાની કૃપાદ્રષ્ટિથી કરી રહ્યા છે. અમારી તેમને પ્રાર્થના છે કે તેઓ અમને મૃત્યુના બંધનોથી મુક્ત કરાવી દે. જે પ્રકારે એક આ વેલા રૂપી સંસારથી પાકીને તેના બંધનોથી મુક્ત થઈ જાય છે, તેવી જ રીતે અમે આ સંસારરૂપી જીવનમાં પાકી જઈએ અને તમારા ચરણોમાં અમૃતધારાનું પાન કરતા શરીરને ત્યાગીને તમારામાં લીન થઈ જઈએ.
મહામૃત્યુંજય મંત્રની વિશેષ વાતો ભાગ – 2 માં કરીશું.
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements