મોરબી ખાતે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય શ્રી નરેન્દ્ર ચકુભાઇ વામજા (પટેલ) નાં નિવાસસ્થાને “રાંદલમાંના લોટા” તેડાવ્યાનાં શુભ પ્રસંગે પુ. માડીની પધરામણી તા. 7 સપ્ટેમ્બર મંગળવારે સવારે 10 વાગે થઈ. આ પરિવારનાં પરંપરાગત રીવાજ પ્રમાણે પુત્ર જન્મની ખુશાલીમાં સવા વર્ષમાં આ પ્રસંગની હર્ષભેર ઉજવણી થાય છે અને આખી રાતનું જાગરણ પણ કરવામાં આવે છે. આ શુભ પ્રસંગે સમગ્ર પરિવારે ખુબ જ ભાવપૂર્વક પુ. ગુરુદેવનું પુષ્પહારથી ભાવભીનું સ્વાગત કર્યું અને પુ. માડીએ પણ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ મધ્યે બિરાજીત માં ગાયત્રીને પહેરાવેલી કિંમતી સાડી નરેન્દ્રનાં ધર્મપત્ની શ્રીમતી જાગૃતિને સપ્રેમ ભેટ આપી, જેનો તેમણે અતિ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કર્યો અને સુપુત્ર રિયાંશને ખોળામાં બેસાડી વિશેષ આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે નરેન્દ્રનાં માતુશ્રી લાભુબેન, ચારેય બહેનો મિનાબેન, મનીષાબેન, નીતાબેન, ચાંદનીબેન તથા બનેવી સાહેબશ્રીઓ નિતીનકુમાર, સુરેશકુમાર, જતીનકુમાર અને જયદીપકુમાર સહિત અનેક સગાસ્નેહીઓએ હાજરી આપી પ્રસંગને દિપાવ્યો હતો. સૌની સાથે પુ. શ્રી માડીએ અહીં જ પ્રસાદ ગ્રહણ કરી, સૌને શુભાશીર્વાદ પાઠવી સવારે 11.45 વાગે વિદાય થયા.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877