Explore

Search

August 2, 2025 1:37 am

लेटेस्ट न्यूज़
Advertisements

નવ વર્ષ શુભારંભ નિમિત્તે પૂ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી તેમનાં વતન વઢવાણ : Manoj Acharya

નવ વર્ષ શુભારંભ નિમિત્તે પૂ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી તેમનાં વતન વઢવાણ : Manoj Acharya

👉 નવ વર્ષ શુભારંભ નિમિત્તે પૂ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી તેમનાં વતન વઢવાણ – જોરાવરનગર – રતનપર – સુરેન્દ્રનગર ખાતે કારતક સુદ છઠ તા. 10.11.2021 નાં બુધવારે બપોરે 2.45 થી 7.30 દરમિયાન થઇ. સૌપ્રથમ જાણીતા લેખક, પત્રકાર, સાહિત્યકાર અને તેમનાં શિષ્ય શ્રી મનોજભાઇ પંડયાનાં નિવાસસ્થાને થઈ ત્યારે તેમનાં ધર્મપત્ની શ્રીમતી રોહીણીબેને પુ. માડીનું ભાવથી સ્વાગત કરીને નવા વર્ષનાં રામરામ કરી આશીર્વાદ લીધા.
👉 સાંજે 3.45 શ્રી હકુભા એમ. ઝાલાનાં (નિવૃત જીઇબી અધિકારી), રતનપર ખાતેનાં નિવાસસ્થાને પધરામણી થઈ ત્યારે તેમનાં ધર્મપત્ની શ્રીમતી કનકબા, મોટા સુપુત્ર યશોધરસિંહ, તેમનાં ધર્મપત્ની શ્રીમતી મિતાબા, નાના સુપુત્ર રવિરાજસિંહે માતાજીની આરતી ઉતારી અને પુ. માડીનાં ખુબ જ ભાવથી આશીર્વાદ લીધા.
👉 તે પછી સુરેન્દ્રનગરનાં અગ્રણી ધારાશાસ્ત્રી અને ક્ષત્રિય સમાજસેવક શ્રી રાજભા ઝાલા (ઘણાદ) નાં નિવાસસ્થાને પુ. માડીની પધરામણી થઈ ત્યારે તેમને ત્યાં પધારેલ સૌ મહેમાનોએ નવા વર્ષનાં આશીર્વાદ લીધા અને તે દરમિયાન અમે મારા બહેન સમાન ઇલાબા ચૌહાણને ત્યાં રામરામ કરી અન્નકૂટ પ્રસાદ આપ્યો અને સમયનાં અભાવે તેમનાં ભાઈશ્રી અનિરુદ્ધસિંહ રાણા (ખેરાળી) ને પણ પ્રસાદનું પેકેટ આપી પહોંચાડવા કહ્યું.
👉 એ પછી પૂર્વ માહિતી નિયામક શ્રી ભુપેન્દ્રભાઈ દવેનાં નિવાસસ્થાને પુ. માડીની પધરામણી થઈ. આ પરિવાર સાથે પુ. માડી 1967 થી સંકળાયેલા છે અને પુ. માડીને ભાણુભા કહીને માન આપે છે કારણ કે તેમનાં પિતાશ્રી સ્વ. મોહનલાલ ધનેશ્વર દવે રાજકોટમાં અગ્રણી સમાજસેવક સાથે જીવનપ્રકાશ અને બ્રહ્મદીપ માસિક મેગેઝિનનાં તંત્રી હતા અને પુ. શ્રી તેમને મામા કહેતા અને તેમનાં અંતિમ સમયે બ્રહ્મદિપનું તંત્રીપદ પુ. માડીને આપેલું જ્યારે તેઓ ડો. ઇન્દ્રવદન આચાર્ય તરીકે હતા. શ્રી ભુપેન્દ્રભાઈ ખુબ જ સારા લેખક પણ છે અને ટુંક સમયમાં ‘ઝાલાવાડની અણકહી વાતો’ નામે પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. બંન્ને મહાનુભાવોએ જુના સંબંધો તાજા કર્યા અને પુ. માડીને હમણાં જ પ્રસિદ્ધ થયેલો ‘ગુજરાત’ નો દિપોત્સવી અંક સપ્રેમ ભેટ આપ્યો.
👉 તે પછી અગ્રણી સમાજસેવક અને ઇતિહાસપ્રેમી એવા શ્રી કિશોરસિંહ ઝાલા (કંથારીયા) ની કેકશોપ ‘મોનજીનીસ’ ખાતે પુ. માડી પધાર્યા અને નવા વર્ષના રામરામ કરી આશીર્વાદ આપ્યા અને અન્નકૂટ પ્રસાદી આપી.
👉 સુરેન્દ્રનગરનાં લોકપ્રિય સાપ્તાહિક ‘નવકાર’ મેગેઝિનનાં સંપાદક શ્રી અને શિષ્ય શ્રી ભરતભાઈ પંડ્યાનાં નિવાસસ્થાને પધરામણી થઈ. તેઓ ઓફિસે હોય મળી શક્યા નહીં પરંતુ મારી દિકરી દિવ્યાના સાસુમાં અને મારા મોટાબેન સમાન નયનાબેન શુક્લ અને તેમનાં મોટા સુપુત્ર શ્રી પ્રિયાંગભાઇ હાજર હતા. આમ, સૌને શુભાશીર્વાદ પાઠવી અને અન્નકૂટ પ્રસાદ આપ્યો.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements