વનવાસી વિસ્તાર માં શિક્ષણ અને કેળવણી નું પ્રમાણ વધે તથા આ ક્ષેત્રે કામ કરતી સંસ્થાનાં સેવાભાવીઓ ને પ્રોત્સાહન મળે તે હેતુથી વડોદરા શહેર ની સેવાભાવી સંસ્થા શિવસુરજ ટ્રસ્ટ દ્વારા કપરાડા તાલુકામાં આવેલ બાબર ખડક માં આવેલી ચંદનવાડી આશ્રમ શાળામાં વૃક્ષારોપણ, કન્યા કેળવણી અને બાળ સંસ્કાર નો કાર્યક્રમ તા.૧૮ જૂન ૨૦૨૨ નાં રોજ બપોરે ૧૨.૩૦ કલાકે યોજાયો હતો. કાર્યક્રમ ની શરૂઆત માં શિવસુરજ ટ્રસ્ટનાં ટ્રસ્ટી શનાભાઈ પટેલ, પ્રમુખ સ્નેહલ ભાઈ શાહ અને વસંતભાઈ પટેલે બે છોડ નીલગીરી, બે છોડ કાજુ અને એક સીતાફળ નાં વૃક્ષો નું વૃક્ષારોપણ કર્યું હતું.
ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ એ “રાત દિવસ તને સુજે નહિ કામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ, મન નો મુરલીઓ રચે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ” કવિતા સુંદર રીતે ગાતા શિવસુરજ ટ્રસ્ટનાં ટ્રસ્ટી શનાભાઇ પટેલે ત્રણ બાળાઓને રોકડ ઇનામ આપ્યું હતું. શિવસુરજ નાં ટ્રસ્ટી, પ્રમુખ અને વસંતભાઇ પટેલે શાળાની અને નાના ભૂલકાઓ ને કઈ વાતની અગવડ પડે છે તે અંગે આશ્રમ શાળા નાં ટ્રસ્ટી હીરાભાઈ પટેલ પાસેથી વિગતવાર જાણકારી મેળવી હતી. હાલમાં અહિયાં ધો.૧ થી ધો.૮ સુધીના બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.
આ અંગે પ્રમુખ સ્નેહલ ભાઈ શાહે જણાવ્યું હતું કે શિવસુરજ ટ્રસ્ટ દ્વારા વનવાસી વિસ્તારમાં શિક્ષણ અને કેળવણી નું પ્રમાણ વધે તથા આ ક્ષેત્રે કામ કરતી સંસ્થાનાં સેવાભાવીઓ ને પ્રોત્સાહન મળે તે હેતુથી વડોદરાની સેવાભાવી સંસ્થા શિવસુરજ ટ્રસ્ટ દ્વારા ચંદનવાડી આશ્રમ શાળાનાં સમારકામ નું ભગીરથ કાર્ય ની જીમ્મેદારી હાથમાં લેવામાં આવી છે. આ પ્રસંગે શિવસુરજ ટ્રસ્ટનાં ટ્રસ્ટી શનાભાઇ પટેલે શાળાની બાળાઓને સવારે શાળાનાં આચાર્ય અને મોટેરાઓ ને નમસ્તે અને જય શ્રી કૃષ્ણ અને વંદન કરવા જોઇએ તેવું સૂચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ચંદનવાડી આશ્રમ શાળાનાં ટ્રસ્ટી હીરાભાઈ પટેલ, શાંતાબેન પટેલ, આચાર્ય રાજીરામ ભાઇ, નવસારી થી ધર્મેશભાઇ પટેલ હાજર રહ્યાં હતાં. વાપી નાં વસંતભાઈ પટેલ અને પરાગ જોષી એ માસિક સેવાનો સંકલ્પ લીધો હતો.





Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877