Explore

Search

September 13, 2025 11:46 pm

लेटेस्ट न्यूज़
Advertisements

વાપી ચનોદ લેક વ્યું અને ઇસ્કોન વાપી દ્વારા વાપીમાં ભવ્ય રથયાત્રા નીકળી. જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે રસ્તા પર નીકળ્યાં. “જય જગન્નાથ”ના નારા ગુંજ્યા. ભાવિક ભક્તોએ પ્રભુ નાં દર્શન નો પ્રસાદ લીધો. પરાગ જોષી દ્વારા

વાપી ચનોદ લેક વ્યું અને ઇસ્કોન વાપી દ્વારા વાપીમાં ભવ્ય રથયાત્રા નીકળી. જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે રસ્તા પર નીકળ્યાં. “જય જગન્નાથ”ના નારા ગુંજ્યા. ભાવિક ભક્તોએ પ્રભુ નાં દર્શન નો પ્રસાદ લીધો.      પરાગ જોષી દ્વારા

વાપીના ચણોદ વિસ્તારમાં લેક યુ ની સામે આવેલા જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા વરસાદી માહોલમાં નીકળી હતી. જેમાં વિવિધ વાજા વાજિંત્રો સાથે ધાર્મિક રીત રિવાજ મુજબ આજે વરસતા વરસાદની વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી અનેક ભાવિક ભક્તો ભગવાન જગન્નાથના રથને ખેંચીને લઈ જવાનો લાહવો લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. સાથે જ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળેલી આ રથયાત્રા સવારે ૧૧ વાગ્યે જગન્નાથ મંદિરથી નીકળી ચણોદ ગુરુ દ્વારા થઈ જીઆઇડીસી માર્ગથી વિવિધ વિસ્તારોમાં ફરી હતી જે બપોર સુધી ચણોદ ભુલાનગર ખાતે પહોંચી હતી. ઇસ્કોન વાપીની રથયાત્રાનો પાહિંદ વિધીબાદ નાણાંમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું. વાપી છરવાડા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે થી ઇસ્કોન વાપી દ્વારા ભગવાન જગન્નાથ ની ભવ્ય રથ યાત્રાનું શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ આજે ગુજરાત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. રથયાત્રાના પ્રારંભે મહત્વની ગણાતી પહિંદ વિધિ અને આરતી કર્યા બાદ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. પટેલ સમાજ વાડીથી નીકળેલી રથયાત્રા ગુંજન વિસ્તારમાં ફરી હતી અનેક ભાવિક ભક્તોએ ભગવાનના રથના દોરડા ખેંચીને ધન્યતા અનુભવી હતી.ઇસ્કોન જગન્નાથ યાત્રા પૂર્વે ઇસ્કોનના ભાવિક ભકતો દ્વારા ૩૦૦૦ પ્રસાદનો ભોગ ભગવાનને ધરાવાયો હતો. ઇસ્કોન વાપી દ્વારા દર વર્ષે ભગવાનને પ્રસાદનો ભોગ ધરાવવામાં આવે છે જે પ્રસાદ મંદિરના મહારાજ દ્વારા બનાવવમાં આવે છે પરંતુ આ વર્ષે વર્ષ ૨૦૨૨ ચાલી રહ્યું છે ત્યારે ભગવાનને ૨૦૨૨ જેટલી વાનગીનું અન્નકૂટ ધરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ભાવિક ભક્તોના ઘરે બનાવેલો વિવિધ વાનગી અંદાજિત ૩૦૦૦ થી વધુ વાનગી નો ભોગ ભગવાન જગન્નાથને ધરાવવામાં આવ્યો હતો.રથયાત્રા માં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે પોલીસ અને સિયા ઈમામી ઇસ્માઇલી ખોજા સમાજ નાં સ્વયંસેવકો(વોલીંન્ટરો) એ ખડે પગે ઉત્તમ સેવા આપી હતી.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements