આઝાદી સમયે કાઠિયાવાડના 222 દેશી રજવાડાઓનું વિલીનીકરણ અને તેની રસપ્રદ માહિતી
આઝાદી પૂર્વે અસ્તિત્વમાં રહેલા 222 દેશી રજવાડાઓનું સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે વિલીનીકરણ કરવામાં આવ્યું ત્યારે સૌરાષ્ટ્રનું ક્ષેત્રફળ 21451 ચો. મી. એટલે કે 5515 ચો. કિ.મી હતું અને તેની વસ્તી લગભગ 40 લાખ જેટલી હતી. આ 222 રજવાડાઓ સૌરાષ્ટ્રમાં આવેલ ગાયકવાડની સત્તા હેઠળનાં અમરેલી પ્રાંત અને દ્વારકા બેટ વગેરેનો સમાવેશ થતો ન હતો. વડોદરા રાજ્યએ તા. 1/5/1951 માં મુંબઈ રાજ્ય સાથે જોડાણ કર્યું હતું પરંતુ તા. તા. 1/11/1956 નાં દિવસે સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્યમાં જોડી દેવાતા અમરેલી પ્રાંત પણ સૌરાષ્ટ્ર ડિવીઝનનો ભાગ બન્યું હતું અને એક સ્વતંત્ર જીલ્લો બન્યો હતો. સ્વતંત્રતા પછી સૌરાષ્ટ્રમાં કેટલા રજવાડાઓ અને તેઓ જે-તે વખતે કેટલા ચો. મી. ના વિસ્તાર અને ગામો ધરાવતા હતા? તેમનાં રાજ્યની સોંપણી કઇ તારીખે થઈ? રાજ્યોની સોંપણી વખતે કયા રાજ્યમાં કયા રાજા રાજ કરતા હતા? તેમના રાજ્યને કેટલા તોપોની સલામી આપવામાં આવતી હતી? સાલિયાણું કેટલું બાંધવામાં આવ્યું હતું? આ સમગ્ર માહિતી અહીં આપવામાં આવી છે, જે સૌ માટે રસપ્રદ બની રહેશે. સ્વતંત્રતા સમયે સૌરાષ્ટ્રનાં 14 રાજ્યોને “સલામી રાજ્યો” તરીકેની માન્યતા આપવામાં આવી હતી. ભાવનગર, ધ્રાંગધ્રા, ગોંડલ, જૂનાગઢ, મોરબી, અને જામનગર સ્ટેટને પ્રથમ દરજ્જાનાં સ્ટેટ ગણવામાં આવતા હતા જયારે ધ્રોળ, જાફરાબાદ, પાલીતાણા, પોરબંદર, રાજકોટ, વાંકાનેર અને વઢવાણ સ્ટેટને બીજા નંબરના સ્ટેટનો દરજ્જો હતો. 900 ગામના દરજ્જા સાથે ભાવનગર અવ્વલ નંબરે આવતું હતું. બીજા ક્રમે જૂનાગઢનાં નવાબ 862 ગામો ઉપર પ્રભુત્વ ધરાવતા હતા. આવી જ રીતે નવાનગર (જામનગર) નાં જામસાહેબ 712 ગામનાં ધણી હતા. રાજકોટની હેઠળ 64 ગામો આવતા હતા. ભાવનગર, ધ્રાંગધ્રા, જૂનાગઢ અને નવાનગરને 15 તોપોની સલામી હતી જ્યારે અન્ય રજવાડાઓને ઉતરતા ક્રમે તોપોની સલામી આપવામાં આવતી હતી. રાજકોટને 9 તોપોની સલામી હતી. આ સિવાય સૌરાષ્ટ્રના બીજા રાજ્યોનો આંકડો ખૂબ જ મોટો હતો, જેની માહિતી અહીં આપી છે. આ માહિતી નિવૃત Dysp શ્રી કેશુભાઈ ગાજીપરાના માધ્યમથી બની છે અને માહિતી સ્ત્રોત શ્રી દેવકરણ ગઢીયામાંથી ઉપલબ્ધ બની છે, જેમનો અત્રે આભાર માનીએ છીએ. આ માહિતીનું સંકલન કરીને ડો. ઇન્દ્રવદન આચાર્યનાં પુસ્તક “સૌરાષ્ટ્રમાં ઝાલા રાજવંશના શાસનનો ઇતિહાસ” માં પ્રકાશિત કરવામાં આવેલ છે. ડો. ઇન્દ્રવદન આચાર્ય ઝાલાવાડનાં ઇતિહાસવિદ છે. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અને સને 2001 માં 62 વર્ષ પ્રિન્સિપાલ તરીકે નિવૃત થયા તે દરમિયાન સને 1974 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌપ્રથમ Ph. D. થયેલા છે. હાલ તેઓની ઉંમર 81 વર્ષની છે અને છેલ્લા 38 વર્ષથી ગાયત્રી ઉપાસક પણ છે. તેમનું આધ્યાત્મિક નામ શ્રી સ્વરૂપાનંદજી છે અને “માડી” તરીકે ઓળખાય છે. મૂળ વઢવાણ નિવાસી છે અને હાલ રાજકોટમાં રહે છે. તેમના ઉપરોક્ત પુસ્તકમાં ઘણી જ અલભ્ય અને ઐતિહાસિક માહિતી આપવામાં આવેલી છે, જેને આપ જરૂરથી ખરીદો. પુસ્તક A4 Size માં અને 500 પાનાનું છે, જેની કિંમત સર્વેને પોસાય તેવી ફક્ત રૂપિયા 1000/- રાખવામાં આવેલી છે. (ગુજરાતમાં કુરીયર Free) પુસ્તક માટે તેમનાં સુપુત્ર શ્રી મનોજભાઇ આચાર્યનો સંપર્ક કરી શકો છો. 98244 17344
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877