Explore

Search

June 6, 2025 3:37 am

लेटेस्ट न्यूज़

दमन में सड़क सुरक्षा अभियान को मिली नई दिशा, “Helmet Hero “मुहिम के अंतर्गत आयोजित हुई जागरूकता ग्राम सभा माननीय प्रशासक श्री प्रफुलभाई पटेल के कुशल नेतृत्व में दमन में सड़क सुरक्षा के प्रति जनजागरूकता अभियानोंको नई गति

Advertisements

લખતરનાં ઐતિહાસિક કિલ્લાના કાંગરાનો એક ભાગ તુટી પડ્યો : Manoj Acharya

લખતરનાં ઐતિહાસિક કિલ્લાના કાંગરાનો એક ભાગ તુટી પડ્યો : Manoj Acharya

લખતરનાં ઐતિહાસિક કિલ્લાના કાંગરાનો એક ભાગ તુટી પડ્યો.
સુરેન્દ્રનગર : લખતર ખાતે આવેલા ઐતિહાસિક અને ગુજરાતના એકમાત્ર અખંડ એવા ૧૪૦ વર્ષ જુના ગઢના કાંગરાનો એક ભાગ તૂટી પડતા લખતરવાસીઓ અને ઈતિહાસ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાવા પામેલ છે. લખતરનો એકમાત્ર અખંડ ગઢ કે જેનું બાંધકામ ૧૪૦ વર્ષ જુનું હોય તેને સમારકામ માટે અનેક વખત રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ દરકાર ન લેવાતા શહેરના પાટડી દરવાજા બહાર નીકળતા ગઢનો કોઠો આવેલ છે તેનો ઉપરથી ભાગ ખરી પડયો હતો. સદનસીબે કોઈપણ જાનહાની થવા પામી નહોતી. અનેક વાર રજુઆતો છતાં રીપેર ન થતાં આ વિરાસત સામુ તંત્ર ધ્યાન નહીં આપે તો ગુજરાતનો એકમાત્ર અખંડ ગઢ તુટવા માંડશે. આ ગઢ હોનારત વખતે તેમજ પ્રજાના જાન – માલનું રક્ષણ કરતો હોઈ ગઢ લખતરની શાન ગણાય છે. માટે વહેલીતકે આ કામ શરૂ થાય એવી ગ્રામજનો અને ઇતિહાસપ્રેમીઓની માંગણી છે. પ્રજાની રક્ષા કરવા માટે લખતરનાં પ્રજાવત્સલ રાજવી કરણસિંહજી ઝાલા બાપુએ ગામ ફરતે કિલ્લો બંધાવ્યો હતો.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements