Explore

Search

June 6, 2025 3:59 am

लेटेस्ट न्यूज़

दमन में सड़क सुरक्षा अभियान को मिली नई दिशा, “Helmet Hero “मुहिम के अंतर्गत आयोजित हुई जागरूकता ग्राम सभा माननीय प्रशासक श्री प्रफुलभाई पटेल के कुशल नेतृत्व में दमन में सड़क सुरक्षा के प्रति जनजागरूकता अभियानोंको नई गति

Advertisements

કબૂતરની ચરક એટલે કે હગાર જીવલેણ હોય -આલેખનઃ રમેશ તન્ના

કબૂતરની ચરક એટલે કે હગાર જીવલેણ હોય -આલેખનઃ રમેશ તન્ના

કબૂતરની ચરક એટલે કે હગાર જીવલેણ હોય છે ?, પારેવાની હગાર માણસના ફેફસાંને ખલાસ કરી શકે છે ?

આલેખનઃ રમેશ તન્ના Sankhalan. : Urvashi Shah

હમણાં અમે 45 વર્ષનાં એક સ્વજન બહેન, નામે નીપાબહેન ચાવડા ગુમાવ્યાં. બે બાળકોએ માતા, એક પતિએ પ્રેમાળ પત્ની અને એક પરિવારે કુળવધૂ ગુમાવી. ઘરમાં હાહાકાર થઈ ગયો.

તેમનું ઘર પહેલા માળે. આજુબાજુમાં ઢગલો વૃક્ષો.

કબૂતરો ખૂબ આવે. તેમના રસોડાની બહાર માળા બનાવે. ઈંડાં-બચ્ચાં આવે. આખો દિવસ કબૂતરો ઊડાઊડ કરે.

કબૂતરની ચરક અથવા હગાર જોખમી હોય છે એની ખબર નહીં. જીવદયા દરેકમાં હોય, બહેનોમાં વિશેષ હોય.

પતિએ કબૂતરનો માળો કાઢી નાખવા કહ્યું તો બહેન કહે, બિચારાં આપણું શું લઈ જાય છે ? ભલેને રહ્યાં.

અમારાં આ સ્વજન બહેન છ મહિનાનાં હતાં ત્યારે તેમને ડબલ ન્યૂમોનિયા થયેલો તેને કારણે તેમનાં ફેફસાં નબળાં હતાં.

કબૂતરની હગારને કારણે તેમને ઈન્ફેકશન થયું. પાંચેક વર્ષ સારવાર ચાલી.

ફેફસાં બદલાય તો મેળ પડે, પણ એવું કરતાં પહેલાં તો અમારા આ સ્વજન બહેન સ્વર્ગે સીધાવ્યાં.

અમદાવાદના જાણીતા સંગીતકાર સમીર રાવલનાં બહેન ,અપર્ણાબહેન કે જેઓ જાણીતાં નૃત્યાંગના હતાં તેમને
પણ કબૂતરોની હગારને કારણે ગંભીર બિમારી થઈ હતી. તેમના પ્રેમાળ પતિએ, કરોડો રૃપિયા ખર્ચીને તેમની અમેરિકામાં સારવાર કરાવી હતી. અરે, ફેફસાં પણ બદલાવ્યાં હતાં, પણ છેવટે અનેક લોકોનાં માનીતાં અર્પણાબહેન વહેલાં જતાં રહ્યાં હતાં.

કબૂતર આપણાથી ખૂબ નજીક રહેનારું પક્ષી છે, પણ તેની હગારથી બચવા જેવું છે. જેને શ્વાસ લેવામાં તકલીફ હોય, જેમને વંશ-પરંપરાગત અસ્થમા હોય, જેમનાં ફેફસાં નબળાં હોય, જેમને ભૂતકાળમાં ન્યૂમોનિયા જેવા શ્વાસને લગતા ગંભીર રોગો થઈ ચૂક્યા હોય તેમણે કબૂતરોની હગારથી દૂર રહેવું હિતાવહ છે.

કબૂતર જ્યાં હંમેશા બેસે છે, ત્યાં ચરક પણ કરે છે. તે જ્યાં ચરક કરે છે ત્યાં ફરી વખત તે જગ્યા ઉપર બેસવાનું પસંદ કરે છે. એટલા માટે કબૂતરોના હગાર વાળી જગ્યા ઉપર દુર્ગંધ પણ આવે છે. કબૂતરોનું ચિતર અથવા હગાર સુકાય એટલે તૂટીને પાવડર જેવું થઇ જાય છે. પાંખો ફફડાવવાથી અને ઉડવાથી તે પાવડર હવામાં ઊડે છે અને પછી શ્વાસ લેવાથી આપણા શરીરની અંદર પ્રવેશ કરી જાય છે.

સંશોધનો કહે છે કે શ્વાસ દ્વારા કબૂતરોની હગાર ફેફસાં સુધી પહોંચી જાય છે, જેનાથી શ્વાસની બીમારી થવાનું જોખમ વધી જાય છે. આ અંગે થયેલી શોધ મુજબ, એક કબૂતર એક વર્ષમાં ૧૧.૫ કિલો હગાર કરે છે. કબૂતરોની હગાર સુકાયા પછી તેમાં જીવાત થવા લાગે છે, જે હવામાં ભળીને ચેપ ફેલાવે છે. ડોકટરોના જણાવ્યા મુજબ, આ ચેપને કારણે જ શરીરમાં એલર્જી, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેના કારણે ફેફસામાં ઇન્ફેકશન જેવી બીમારીઓ થઇ શકે છે. તેનાથી ફંગલ ઇન્ફેકશનવાળી બીમારીઓ પણ થઇ શકે છે.

કબૂતરના ચિતર અને પાંખથી થતી બીમારીઓ મોટા ભાગે ફેફસાં સાથે જોડાયેલી હોય છે, જેને હાઈપર સેંસીટીવીટી ન્યુમોનાઈટીસ કહેવામાં આવે છે. આ બીમારીમાં લંગ્સનું એલર્જીક રીએક્શન થાય છે. તે ઘણું જોખમી હોય છે. શરુઆતમાં તેની ખબર ન પડવાથી આ બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને પીડિતને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.

ડોકટરોના જણાવ્યા મુજબ, હાઈપર સેંસીટીવીટી ન્યુમોનાઈટીસમાં પીડિતને ખાંસી થઇ શકે છે, સાંધામાં દુઃખાવો રહેવા લાગે છે અને ફેફસાને હવામાંથી ઓક્સીજન ખેંચવામાં તકલીફ પડી શકે છે. સમયસર ખબર ન પડે તો તે જીવલેણ પણ થઇ શકે છે. ઘણા ડોકટરો ઘરમાં કબૂતરોનો જમાવડો ન થવા દેવાની સલાહ આપે છે.

*

નીપાબહેન ચાવડા (ગાંધીનગર) અને નૃત્યકાર અર્પણાબહેન (અમદાવાદ)ના આ બે કિસ્સા પછી અમે શ્રી ઋતુરાજ રાઠોડ અને શ્રી ભવદીપ ગણાત્રા જેવા નીવડેલા વૈદ્યરાજો સાથે પણ વાત કરી.

બધા એક વાતે તો સંમત હતા જ કે કબૂતરની ચરક અથવા હગાર જોખમી તો છે જ.

કાગડા, ચકલી, પોપટ, કાબર કે કોયલ જેવાં પક્ષીઓ કરતાં કબૂતર માણસ જાત સાથે ઝડપથી હેવાયું થઈ જતું પક્ષી છે.

ખાસ કરીને ફ્લેટો કે ઓફિસોમાં કબૂતર સતત આવે છે. રસોડામાં, ઘરમાં, વાસણો પર, એરકન્ડીસનર પર તે માળા પણ બનાવે છે. બહેનો આખો દિવસ રસોડામાં કામ કરતી હોય છે. રસોડામાં કે તેની બાજુની બાલ્કનીમાં કબૂતર આખો દિવસ આવે, ઊડાઊડ કરે, સતત ચરકે, ઊડતાં ઊડતાં પણ ચરકે, તેની હગાર ભેગી થાય, તેમાં જીવાત થાય, તે માળા બનાવે, ઈંડાં મૂકે, તેનાં બચ્ચાં થાય.. આ બધાને કારણે એક યા બીજા તબક્કે, આજુબાજુના માણસોને અસર કરે તેવું બનતું હોય છે.

જીવદયા તો આપણે રાખવી જ જોઈએ. કબૂતરોમાં પણ જીવ છે. એમને દાણા આપીએ, પાણી આપીએ એ બરાબર છે. પણ તેના કારણે જે જોખમ ઊભાં થાય છે તે પણ ધ્યાનમાં રાખીએ.

અમને પોતાને પ્રકૃતિ ખૂબ ગમે છે. 2013થી અમારા કાર્યાલયમાં, ઊપવન રવેશમાં કબૂતરો આ

આવી વધુ પોસ્ટ્સ જોવા માટે અને પાટીદાર હિત રક્ષા સમિતિ માં જોડાવા માટે ક્લિક કરો

https://kutumbapp.page.link/4z9wv8CR5ipQBAfp7
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements